એલ. ડી. આર્ટસ કોલેજ 1937 થી શિક્ષણના ક્ષેત્રમાં કાર્યરત છે,પ્રતિષ્ઠિત સંસ્થા છે અને કોલેજમાં મનોવિજ્ઞાન વિભાગમાં તજજ્ઞ પ્રાધ્યાપકો કાર્યરત છે તેઓ વિદ્યાર્થીઓ અને વાલીઓને મનોવૈજ્ઞાનિક સલાહ –સૂચન કે માર્ગદર્શન આપવા તત્પર છે.
એલ. ડી. આર્ટસ કોલેજ, અમદાવાદ મનોવિજ્ઞાન વિભાગમાં Psychological Wellness Center શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શાળા,કોલેજના વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ અને વિદ્યાર્થીઓને પરીક્ષા તેમજ અન્ય બાબત સંદર્ભે સલાહ – સૂચન કે માર્ગદર્શન લેવાની જરૂરીયાત જણાય તો નીચે આપેલ મોબાઇલ નંબર પર દર્શાવેલ સમય દરમિયાન કોલ કરી જરૂરી માર્ગદર્શન મેળવી શકશો.
તેમજ ધોરણ -૧૦ અને ધોરણ -૧૨ ની પરીક્ષા આવી રહી છે ત્યારે ઘણા વિદ્યાર્થીઓને પરીક્ષા ના સંદર્ભમાં કેટલાક પ્રશ્નો મૂંઝવતા હોય છે, તો દરેક પ્રશ્નના ઉકેલ માટે નીચે આપેલ હેલ્પ લાઇન નંબર પર કોલ કરી મદદ માંગી શકો છો.
હેલ્પલાઇન નંબર: 9871089183, 9824665656
સમય: સવારે-૧૧.૩૦ થી રાત્રે-૯.૩૦